બેટી બચાવો અભિયાન રેલી

તા. ૨૬/૨/૨૦૦૯ના રોજ કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્ર્સ્ટ દ્વારા બેટી બચાવો અભિયાન તથા સ્ત્રી ભૃણ હત્યા અટકાવો અભિયાન અંતર્ગત શાળાના બાળકોની વિશાળ રેલીનું આયોજન ગોઠવાયું હતું. સંસ્થાના પ્રમુખશ્રી અને ભુજ તાલુકા પંચાયતના સદસ્યશ્રી હિતેશભાઇ ખંડોરની આગેવાની હેઠળ યોજાયેલ આ રેલીમાં ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પુષ્પાબેન પિંડોરીયા તથા માધાપર જુનાવાસના સરપંચશ્રી જોરાવરસિંહજી જાડેજા, પ્રબુધ્ધ વક્તા અને પ્રખર કથાકાર પૂ. માં ડો. હરેશ્વરીદેવી તેમજ અન્ય અગ્રણિઓ ઉપસ્થિત હતાં.
રેલીને સ્ટાર્ટ આપી રહેલા પ્રબુધ્ધ વક્તા અને પ્રખર કથાકાર પૂ. માં ડો. હરેશ્વરીદેવી તેમજ સાથે મુખ્ય સંયોજક તાલુકા પંચાયતના સદસ્યશ્રી હિતેશભાઇ ખંડોર તથા સંસ્થાના અન્ય સદસ્યો શ્રી ધનસુખભાઇ મહેતા, શ્રી દાદુભા ચૌહાણ, શ્રી જીણાભાઇ દબાસીયા, શ્રી રમેશભાઇ આહીર તેમજ મહિલા સમીતીના સદસ્યો નજરે પડે છે.

બેટી બચાવો અભિયાન તથા સ્ત્રી ભૃણ હત્યા અટકાવો અભિયાન રેલીની તસ્વીર

બેટી બચાવો અભિયાન તથા સ્ત્રી ભૃણ હત્યા અટકાવો અભિયાન રેલીની તસ્વીર

બેટી બચાવો અભિયાન તથા સ્ત્રી ભૃણ હત્યા અટકાવો અભિયાન રેલીની તસ્વીર

તાલુકા પંચાયતના અધ્યક્ષા શ્રીમતિ પુષ્પાબેન પિંડોરીયાને રેલી પ્રસંગે તિલક કરી રહેલી સ્કૂલની બાળા

પ.પૂ. માં ડો. હરેશ્વરીદેવીને રેલી પ્રસંગે તિલક કરી રહેલી સ્કૂલની બાળા

આંગણવાડીમાં સામગ્રીનું વિતરણ

તા. ૨૪/૦૨/૨૦૦૯ના રોજ કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માધાપરની એક આંગણવાડીમાં બાળકોના પીવાના પાણી ભરવા માટે સ્ટીલની ટાંકી અને બેસવા માટે જાજમ તેમજ દરેક બાળકોને બિસ્કિટનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કાર્યમાં હિતેશભાઇ ખંડોર ઉપરાંત કિરણભાઇ મહેતા, પ્રફૂલ્લભાઇ રામાનુજ, ધનશુખભાઇ મહેતા વગેરે જોડાયા હતા.