સ્વર્ણિમ ગુજરાત અનુસંધાને સાંઇરામ દવેનો હાસ્ય દરબાર




* તા. ૧૩/૦૪/૨૦૧૦ના સંસ્થા દ્વારા ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકારશ્રી સાંઇરામ દવેના હાસ્ય દરબારનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના અધ્યક્ષ અને ભુજ તાલુકા પંચાયત સદસ્યશ્રી હિતેશભાઇ ખંડોરે સ્વર્ણિમ ગુજરાત – ૨૦૧૦ને અનુલક્ષીને જે જે કાર્યક્રમો થયા તે અંગે માહિતિ આપેલ હતી. તેમજ ઉપસ્થિત વિરાટ માનવ મહેરામણનું અભિવાદન કર્યું હતું. શ્રી સાંઇરામ દવેએ રાષ્ટ્ર પ્રેમ અને સમાજ સુધારાની જે વાતો સીધી રીતે ગળામાં ના ઉતરે તેવી અનેક બાબતોને પોતાની આગવી અદામાં હાસ્યના માધ્યમથી લોકોના મનમાં ઉતારી દીધી હતી. આ પ્રસંગે જીલ્લા ભાજપના મહામંત્રીશ્રી ત્રીકમભાઇ છાંગા, મંત્રીશ્રી નરેશભાઇ મહેશ્વરી, શ્રી નરેન્દ્રભાઇ મિરાણી, નિતિનભાઇ કેશવાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતાં








નિર્મળ ગુજરાત નિમિત્તે ગામની સફાઇ




* તા. ૧૨/૪/૨૦૧૦ અને તા. ૧૩/૪/૨૦૧૦ના રોજ શ્રી કચ્છ નવપલ્લવ એ. & મે. ચે. ટ્રસ્ટ દ્વારા શ્રી હિતેશભાઇ ખંડોરની આગેવાની હેઠળ સમગ્ર માધાપર-જુનાવાસની સફાઇ જુંબેશનું આયોજન કરાયું હતું. આ સફાઇ જુંબેશ અંતર્ગત જુનાવાસ – માધાપરના તમામ મુખ્ય જાહેર માર્ગો તેમજ તમામ સોસાયટી વિસ્તારોની સફાઇ કરાવવામાં આવી હતી. આ કામગીરીમાં શ્રી જેઠાલાલ સોલંકીએ જહેમત ઉઠાવેલ હતી.